પાલીતાણા

From વિકિપીડિયા

પાલીતાણા-વિકિપીડિયા,સ્વતંત્ર જ્ઞાનકોશ

પાલીતાણા.

ભારતના ગુજરાત રાજ્યના ભાવનગર શહેરની નૈઋત્યમાં 50કિ.મી. દૂર આવેલું છે. જૈનોનું આ અગત્યનું તીર્થસ્થાન છે. આ એક રજવાડું હતું.

વિષય સૂચિ.

અનુક્રમણિકા.       

1 શહેર

2 સ્થળની વિગત, ત્યાં પહોંચવાની રીત.

3ઇતિહાસ-રજવાડું રાજ્ય.

4મૂળ.

શહેર

જૈનો માટે પાલીતાણાના દેરાસરો સૌથીપવિત્રતીર્થ મનાય છે.શત્રુંજય પર્વત ઉપર સુંદર કારીગરીતી સુશોભિત 1250 આરસના દેરાસરો છે. ડુંગરની ટોચ ઉપર રહેલું મુખ્ય દેરાસર પ્રથમ તીથઁકર આદિનાથ ( ઋષભદેવ)નું છે. ભગવાનને માટે જ બનવેલા આ દેરાસરસંકુલ નગરમાં જે પવ્રૅતની ટોચ ઉપર છે ,તેમાં કોઇપણ વ્યક્તિએ રાત રહેવની છુટ નથી. પૂજરી પણ નહીં.

      મોટેભાગના જૈનો જ્હારખંડ (સમેત્શિખર) ,માઉંટઆબુ, કે ગિરનાર કરતાં પણ પાલિતણાને વધુ અગત્યનું માને છે.એવી

માન્યતા છે કે દરેક જૈન વ્યક્તિએ એના જિવંકાળ દરમ્યાન એકવાર તો પાલીતાણાની જાત્રા કરવી જ જોઇએ.

      ગોહિલ રાજ્પુતોના રજવાડાનું પાટ્નગર પાલીતાણા હતું. આ શહેર પરદેશી માટે દેરાસરસંકુલ્ન બેજોડ સ્થાપત્ય માટે જબરું આકષૅણ જમાવે છે.પાલીતાણા શહેરમાં પણ ઘણાં દેરસરો અને હવે તો આધુનિક સુવિધાઓ વાળી ઘણી ધમ્રૅશાળાઓ અને ભોજંશળાઓ છે. 
      આ તીર્થ્રસ્થળ શેત્રુંજય ડુંગર ઉપર છે.તેની બાજુમાંથી સુંદર શેત્રુંજી નદી વહે છે. આ આખો ડુંગર જ દેરાસર મનાય છે .એના ઉપર 

અસંખ્યાત જીવો મોક્ષ પામ્યા છે. તેની તળેટીમાં આવેલી પથ્થર્શિલાની ભાવપુવૅક પૂજા થાય છે.આખા ડુંગરને દેરાસર સમજીને તેના ઉપર ચામડાની ચંપલ,બૂટ વગરે લઈ જવાની મનાઈ છે અને ખાવા-પીવાનો પણ નિષેધ છે. ઉપર જવા માટે 3950 પગથીયાં વાળો પગરસ્તો છે. વાહન જઈ ના શકે. અશક્ત લોકો માટે બે માણસો ઉંચકીને લઈ જાય તેવી ડોળીની સગવડ હોય છે.

     પાલીતાણામાં સમવસરણ મંદિર 108 પ્રભુ પ્રતિમાઓનું સુંદર સ્થાપત્ય છે.જંબુદ્વિપ નામના સંસ્થાનમાં આજના વિજ્ઞાનનાં      સિધ્ધાંતોને પડકારતી જૈન ગ્રંથોમાં લખેલી પૃથ્વીના આકાર માટેની માહિતી અપાય છે. બે સુંદર સંગૃહસ્થાનો આવેલાં છે." શ્રી વિશાલ જૈન કલા સંસ્થાન" અને " સ્થાપત્ય કલા ગૃહ" .જેમાં વસ્ત્રચિત્રો, કાગળની પ્રતો ,કેળના પાનપર લેખો ,પુસ્તકો, પુસ્તક મુખપૃષ્ટો,હાથીદાંતની કોતરણીઓ,હાથીદાંત ઉપરના ચિત્રો,કાષ્ટ્કોતરણીઓ વગરેનો સમાવેશ થાય છે.
     મીઠી કાઠિયાવાડી ભાષા બોલતાં ત્યાંના લોકો ગુજરાતી ભાષાની વખણાયેલી ચારણ કોમની યાદ અપાવે છે.અહીં ઘણાં ચારણ વસતાં હતા. ગુલમહોર,લીમડા,ચંપાનાં વ્રક્ષો તળેટીને રમણિય અને ખુશનૂમા બનાવે છે.આજુબાજુના વિસ્તારમાં ગુલાબ,મોગરા,જાસુદ,જૂઇ,અને ડમરાની વાડીઓ છે.ગુલછડી પણ વપરાય છે.પલિતાણાના પેંડા ખૂબ વખણાય છે. કાઠિયાવાડી ભરતકામની ચીજો પ્રવાસીઓ ખરીદતા હોય છે.

ગુલાબ અહીં બહુ ઉગતા હોવાથી અહીંનું ગુલકંદ બહુ વખણાય છે. કોમી એખલાસની સાક્ષી પૂરે તેમ ડુંગર ઉપર દેરાસરની પાસે જ મુસ્લિમના અંગાર પીર નું પવિત્ર સ્થાન છે.

    પાલીતાણા પહોંચવા માટે;
    .એરોપ્લેન દ્વારા.  પલીતાણાથી સૌથી નજીક્નું  એરપોટૅ 50 કિ.મી. દૂર આવેલું ભાવનગર  છે. જે માત્ર મુંબઈથી જ જોડાએલું છે. 

મુંબઈ સિવાય આવતા લોકો માટે અમદાવાદનું એરપોટૅ જે આંતરરાષ્ટ્રિય પણ છે અને બરોડા (વડોદરા) એરપોટ્ર છે.આ બંન્ને દેશનાં મોટાં શહેરો જેવાંકે દિલ્હિ,ચેન્નઈ સાથે જોડાયેલાં છે.

    .ટ્રેઈન ; પાલીતાણામાં નાનું રેલ્વે સ્ટેશન છે જે ભવનગરથી જોડાયેલું છે અને ભાવનગર અમદાવાદથી.
    .બસ રોડ:ભાવનગર,અમદાવાદ,તળાજા,ઉના,દીવ,મુંબઈ વગરે શહેરોથી નિયમિત બસરૂટ છે. અમદાવાદ્થી એસ.ટી. અને ખાનગી બસ નિયમિત આવે છે. 5 કલાક્ની મજલ છે. અમદાવાદ્થી 215 કિ. મી. પાલીતાણા છે.ટેક્સી પણ મળી શકે  છે. 
    ઇતિહાસ.
       ભુતપૂર્વ રજવાડું:
     પાલીતાણા એક બીજા વર્ગનું રજવાડું હતું.1194 માં સ્થાપના થઈ હતી. સૌરાશ્ટ્રમાં ઘણાં નાનાં નાનાં રજવાડાં હતાં તેમાંનાં થોડા મુખ્યમાંનું પલીટાણા એક હતું. એનું ક્ષેત્રફળ 777 કિ.મી.હતું .1921માંએની વસ્તી 58000 હતી. એમા 91 ગામ આવરી લીધાં હતાં.તેની આવક રૂ.744416 હતી.
     9 બંદૂક્ની સલામીના અધીકારી હિંદુ ગોહિલ કુલના ઠાકોર સાહેબ તેના માલિક હતા. એમની ખાનગી આવક 180,000હતી.