ચલાલા

From વિકિપીડિયા

ચલાલા એ ગુજરાત રાજ્યના અમરેલી જીલ્લાના ધારી તાલુકામાં આવેલું ગામ છે. ચલાલામાં સુપ્રસીદ્ધ દાનમહારાજનો આશ્રમ આવેલો છે. દાનમહરાજના આશ્રમની ગાદીએ મહંત શ્રી વલકુબાપુ બીરાજમાન છે.

વલકુબાપુ ના અનુચરો તેમને અત્યંત આદર થી જુએ છે અને તેમની ગણના પરમપુજ્ય તથા વિદ્વાન તરીકેની કરે છે. આ ભક્તો તેમને "મહાવિદ્વાન આદરણીય પરમપુજ્ય શ્રી વલકુબાપુ" કહીને બોલાવે છે. વલકુબાપુ ધાર્મીક પ્રવૃત્તિની સાથે સાથે સામાજિક ક્ષેત્રે પણ યોગદાન આપી રહ્યા છે. તેઓ ચલાલા આર. કે. એમ. એમ. હાઇસ્કુલના મુખ્ય ટ્રસ્ટી તરીકે અને શ્રીદાનેવ ગુરુકુળ, ચલાલાની સ્થાપના કરી શીક્ષણશેત્રે પણ સેવા આપી રહ્યાછે.

આ ઉપરાંત ચલાલા ગામમાં બીજા પણ ધાર્મીક સ્થાનો આવેલા છે જેમકે મુળીમા ની ધાર્મીક જગ્યા, બાજુમાં મીઠાપુર ગામમાં પ્રખ્યાત સંતશ્રી સતૃ દેવીદાસ બાપુનો આશ્રમ આવેલો છે, તેમજ વેદૃમાતા ગાયત્રી માતાના પણ બે આશ્રમ આવેલા છે. સામાજીક શ્રેત્રે પણ ચલાલા ગામમા અવાર નવાર જુદા જુદા પ્રકારના કેમ્પનું આયોજન સામાજીક સંસ્થાઓ દ્વારા થતુ હોય છે. ચલાલાના પ્રથમ સરપંચ પદે મહાન ખાદીધારી સ્વઃ શ્રી નાગરદાસભાઈ દોશી બીરાજમાન હતા


મારુ નામ નરેન છે.