શ્રી રામ ચરિત માનસ
From વિકિપીડિયા
શ્રી રામ ચરિત માનસ અવધી ભાષા માં ગોસ્વામી તુલસીદાસ દ્વારા ૧૬મી સદી માં રચાયેલ એક મહાકાવ્ય છે. શ્રી રામચરિત માનસ નું ભારતીય સંસ્કૃતિ માં એક વિશેષ સ્થાન છે. ઉત્તર ભારત માં રામાયણ ના રૂપમાં ઘણા બધા લોકો દ્વારા દરરોજ વંચાય છે.
હિંદૂ સમાજના મોટા ભાગને રામચરિતમાનસ પર અત્યંત આસ્થા છે અને આને હિંદુઓ નો પવિત્ર ગ્રંથ માનવામા આવે છે.
[ફેરફાર કરો] રચના
રામચરિત માનસ ૧૫મી શતાબ્દી ના કવિ ગોસ્વામી તુલસીદાસ દ્વારા લખાયેલ મહાકાવ્ય છે. જેમ કે તુલસીદાસ એ રામચરિત માનસ ના બાલકાણ્ડ મા સ્વયં લખ્યુ છે કે એમણે રામચરિત માનસ ની રચના નો આરંભ અયોધ્યા માં વિક્રમ સંવત્ ૧૬૩૧ (ઇ.સ. ૧૫૭૪)ની રામનવમી ના દિવસે કર્યો હતો. ગીતાપ્રેસ ગોરખપુર ના શ્રી હનુમાન પ્રસાદ પોદ્દાર અનુસાર રામચરિતમાનસ લખવામાં તુલસીદાસ ને ૨ વર્ષ ૭ મહિના ૨૬ દિવસ નો સમય લાગ્યો હતો. તેમણે આ રચના સંવત્ ૧૬૩૩ (ઇ.સ. ૧૫૭૬)ના માર્ગશીર્ષ શુક્લપક્ષ ના રામવિવાહ ના દિવસે પૂરી કરી હતી. આ મહાકાવ્ય ની ભાષા અવધી એ હિંદી ની એક શાખા છે. રામચરિતમાનસ ને હિંદી સાહિત્ય ની એક મહાન કૃતિ મનાય છે.રામચરિતમાનસ ને સામાન્ય રીતે તુલસી રામાયણ કે તુલસી કૃત રામાયણ પણ કહેવાય છે.
શ્રી રામ ચરિત માનસ માં શ્રી રામ ને ભગવાન વિષ્ણુ ન અવતાર ના રૂપ માં દર્શાવ્યા છે જ્યારે મહર્ષિ વાલ્મીકિ કૃત રામાયણ મા શ્રી રામ ને એક માનવ ના રૂપમાં દેખાડ્યા છે. તુલસી ના પ્રભુ રામ સર્વશક્તિમાન હોવા છતાં મર્યાદા પુરુષોત્તમ છે. શરદ નવરાત્રિ માં આના સુન્દર કાણ્ડનુ પઠન પુરા નવ દિવસ થાય છે.
[ફેરફાર કરો] અધ્યાય
રામચરિતમાનસ ને તુલસીદાસે સાત કાણ્ડોં મા વિભક્ત કરેલ છે. આ સાત કાણ્ડોં ના નામ છે - બાલકાણ્ડ, અયોધ્યાકાણ્ડ, અરણયકાણ્ડ, કિષ્કિન્ધાકાણ્ડ, સુન્દરકાણ્ડ, લંકાકાણ્ડ અને ઉત્તરકાણ્ડ. છંદો ની સંખ્યા અનુસાર અયોધ્યાકાણ્ડ અને સુન્દરકાણ્ડ અનુક્રમે સૌથી મોટો અને નાનો કાણ્ડ છે. તુલસીદાસ એ રામચરિતમાનસ મા હિંદી ના અલંકારો ( વિશેષ કરીને અનુપ્રાસ અલંકાર) નો ખુબ જ સુંદર પ્રયોગ કરેલ છે.
- બાલકાણ્ડ
- અયોધ્યા કાણ્ડ
- અરણ્ય કાણ્ડ
- કિષ્કિન્ધા કાણ્ડ
- સુન્દર કાણ્ડ
- લંકા કાણ્ડ
- ઉત્તર કાંડ