સ્વાધ્યાય
From વિકિપીડિયા
સ્વાધ્યાય શબ્દનો અર્થ સ્વ + અધ્યયન = પોતાનો અભ્યાસ થાય. વ્યક્તિ પોતાને જાણવાનો પ્રયત્ન કરે તે પ્રક્રિયાને સ્વાધ્યાય કહેવાય.
આજના સમયમાં સ્વાધ્યાય બે રીતે પ્રચલિત છે.
૧. સ્વાધ્યાય પરિવાર
૨. જૈન સ્વાધ્યાય
ગીતામાં જણાવ્યા મુજબ દરેક વ્યક્તિએ પોતાનો અભ્યાસ આત્મવિકાસ માટે કરતા રહેવું જોઇએ. દરેક વ્યક્તિ જાણ્યે-અજાણ્યે સ્વાધ્યાય કરતી જ હોય છે. ધર્મ દ્વારા આ પ્રક્રિયાની વ્યાખ્યા કરવામાં આવે છે અને વ્યક્તિને કોઇ સ્થાપિત વિધી (પ્રક્રિયા) મુજબ માર્ગદર્શન આપવામાં આવે છે.